છાપાની હેડલાઇન શાકભાજીના ભાવ ઘટયા : શું ખરેખર થયો છે ઘટાડો ? એતો જાણવા મળશે માર્કેટમાં શાકભાજીની ખરીદી વખતે..
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan29062024_104847_vegetable-prices-soar-to-over-rs-100-per-kg-as-unseasonal-rainfall-and-high-fuel-prices-pinches-india.webp)
- 29 Jun, 2024
વરસાદ થોડો સારો વરસતા તરતજ છાપામાં મોટા અક્ષરોમાં હેડિંગ આવી જાય છે કે ગૃહિણીઓ થઈ ખુશખુશાલ, શાકભાજીના ભાવમાં ઘટાડો થયો. પરંતુ હવે ગૃહિણી પણ હોશિયાર થઈ ગઈ છે. તેમને પણ ખબર પડી ગઈ છે કે આ તો ફક્ત એક લોભામણી જાહેરખબર જેવુ જ છે, તેથી ખુશ થવાની જરૂર નથી. હકીકત તો શાકમાર્કેટમાં જઈને જ ખબર પડી જશે.
છેલ્લા કેટલાય સમયથી સમગ્ર ગુજરાત છુટો છવાયો વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે ખેડૂતોમાં આનંદનો માહોલ જણાઈ રહ્યો છે. તેમણે વાવેલી શાકભાજી-ફળ-ફળાદીને પૂરતું પાણી મળી રહેતા પાક સારો ઉતાર્યો હતો . જેથી ખેડૂતોને તેમના પાકની સારી આવક મળવાની આશા લાગી છે.
વરસાદ વરસતા કઈ એકાદ-બે અઠવાડિયામાં શાકભાજીના ભાવમાં તરતજ ઘટાડો થઈ જતો નથી, શાકભાજીતો હૉલસેલર ખેડૂતો પાસેથી ઓછા ભાવમાં ખરીદી કરી લે છે. કારણ ખેડૂતો પાસેતો શાકનો પુષ્કળ જથ્થો હોય છે. રોજ ખેડૂતો ટ્રક ભરીને શાક માર્કેટમાં લાવતા હોય જ છે. પણ હૉલસેલર આ શાક સાવચેતી પૂર્વક રાખી લે છે,અને માર્કેટમાં જરૂરીયાત મુજબ વેચે છે. જો શાકનો વધારે જથ્થો એકીસમયે બહાર આવશે તો તેમને ભાવ મળશે નહીં. તેથી સમય સૂચકતા વાપરીને શાક બજારમાં વેચે છે.
પણ હાલની પરિસ્થતિ કઈક અલગ જ જોવા મળી રહી છે. જો રાજ્યમાં આ વરસાદ આવોજ સતત વરસતો રહેશે તો હોલસેલરને છૂટક વેપારીઓને સસ્તા ભાવે શાકભાજી આપવાની ફરજ પડશે, કારણ વરસાદી વાતાવરણમાં શાક ઝડપથી બગડી જવાની સંભાવના રહેતી હોય છે. વરસી રહેલા વરસાદને લીધે માર્કેટમાં હાલમાં શાકભાજીનો પર્યાપ્ત જથ્થો જોવા મળી રહ્યો છે.
હોલસેલરો પાસેથી છૂટક વેપારીઓ શાકની ખરીદી કરી લીધી છે. હોલસેલરને પાસે તો રોજ ટ્રક ભરીને ગુજરાતમાં અન્ય રાજ્યમાંથી શાકભાજીની આવક થઈ રહી છે. જેમ કે, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી પણ અમદાવાદ એપીએમસી માર્કેટમાં રોજની 500 જેટલા નાના-મોટા ખટારામાં શાકભાજીનો જથ્થો આવે છે. તદુપરાંત અમદાવાદ શહેરમાંથી પણ આસપાસના તાલુકાઓમાં શાકભાજીનો જથ્થો પહોંચી રહ્યો છે.
વિવિધ જગ્યાએથી આવે જ છે, તેથી તેમને નિકાલ કરવો રહ્યો. અને છૂટક વેપારી તેમની પાસેથી તો જરૂરિયાત મુજબ માલ જ ખરીદી કરે છે જેને કારણે તેમને ઓછા ભાવે શાક મળી રહે છે. આમ આ વેપારથી છૂટક વેપારીઓ જ કમાણી કરી લેતા જોવા મળી રહ્યા છે. દરમિયાન જો અમદાવાદ શહેરના જમાલપુર ખાતેના એપીએમસી માર્કેટની વાત કરી એ તો ત્રણ દિવસ અગાઉ 25 જૂનના રોજ જે શાકભાજીના ભાવ હતા, તેના કરતા આજના ભાવમાં 40 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે.
માર્કેટમાં શાકભાજીની આવકમાં વધારો થતા હોલસેલના વેપારી માલનો જલદી નિકાલ કરવા માટે છુટક વેપારીને સસ્તા શાકભાજી આપી રહ્યા છે. કારણ કે, વરસાદને કારણે શાકભાજી ઝડપથી બગડી જાય છે.ઉપરાંત હાલમાં અમદાવાદ શહેરમાં પાંચ દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના રહેલી છે.પરતું ગૃહિણીઓને પણ હવે એ જોવું રહ્યું કે ખરેખર શાકભાજી ક્યારે તેમને ઘટેલા ભાવે મળશે ??? એ હું વધુ વરસાદ પાડવાની રાહ જોવી પડશે ? આતો સમય જ નક્કી કરશે ..